Top 10 facts about Andaman nicobar island

       અંદમાન અને નિકોબાર ના વિશે ૧૦ વિચીત્ર તથ્યો જે આપે ન તો ક્યારે જોયુ હશે કે ના તો શાંભળ્યુ હશે, 

            આંદામાન અને નિકોબાર ટાપુઓ એ ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે.  તે બંગાળની ખાડીની દક્ષિણમાં હિંદ મહાસાગરમાં સ્થિત છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ આશરે 572 નાના ટાપુઓથી બનેલો છે, જેમાં થી અંદાજિત ૩૨ ટાપુ પરજ લોકો વસેલા છે. તેની રાજધાની પોર્ટ બ્લેર છે.

          ભારતનો આ કેન્દ્રશાસિત પ્રદેશ હિંદ મહાસાગરમાં સ્થિત છે અને ભૌગોલિક રીતે દક્ષિણપૂર્વ એશિયાનો એક ભાગ છે. ઇન્ડોનેશિયા થી 150 કિ.મી. ઉત્તર દિશામાં સ્થિત છે અને અંદમાન સમુદ્ર તેને થાઇલેન્ડ અને મ્યાનમારથી અલગ કરે છે. બે મુખ્ય દ્વીપસમૂહ ધરાવતો આ દ્વીપસમૂહ  10 ° (ઊતર અક્ષાંશ) રેખા ને અલગ પાડે છે, જેની ઉત્તરમાં આંદામાન ટાપુઓ અને દક્ષિણમાં નિકોબાર આવેલા છે ટાપુઓ.  આ દ્વીપસમૂહની પૂર્વ
માં આંદામાન સમુદ્ર અને પશ્ચિમમાં બંગાળની ખાડી આવેલ છે.
 
20 inr.
 
( 1 )  :  ૨૦ રુપિયા ની જુની નોટ પર જે ફોટો છે તે એક ટાપુ નો ફોટો છે જે અંદમાન અને નિકોબાર ટાપુ નો છે.

( 2 )  :  ભારત મા સૌથી વધારે કાચબા અંદમાન અને નિકોબાર ટાપુ પર છે.
( 3 )  : ભારત નો એક માત્ર જ્વાળામૂખી અંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલ છે.

                       Celluler jail
( 4 )  : કાલાપાની ની સજા માટે જે જેલ અંગ્રેજો દ્રારા બનાવ વા મા આવેલી હતી તે સેલ્યુલર જેલ અંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલ છે.
( 5 )  :  અંદમાન અને નિકોબાર મા સેન્ટીનલ ટાપુ એ એક માત્ર ભારત નો એવો ટાપુ છે જ્યા ભારત ના કોઇપણ નાગરીક ને જવા ની પરમિશન નથી ત્યા સુધી કે આપણા વડાપ્રધાન ને પણ નહી. કારણ કે તે ટાપુ ના નિવાસી લોકો જ્યારે કોઈપણ બહારની વ્યાક્તિ ને તેમના ટાપુ ની આસપાસ જોતાજ તેમના પર હુમલો કરી ને હત્યા કરી દે છે.
( 6 )  :  બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને અંદમાન અને નિકોબાર ના અમુક ટાપુ પર અને ઉતર પૂર્વ ભારત ના અમુક હીસ્સા પર પોતાનુ પ્રભુત્વ ૬ મહિના સુધી કર્યુ હતુ.
( 7 )  :  આપડુ ભારત એટલે કે હીંદુસ્તાન ને આઝાદ થવા પહેલા અંદમાન અને નિકોબાર ટાપુ ઓ આઝાદ થયા હતા તેને આઝાદ કરાવવા માટે શ્રી સુભાષ ચંદ્ર બોસ એ આઝાદ હિંદ ફૌજ એ અંગ્રેજો જોડે યુદ્ધ કરી અંદમાન અને નિકોબાર ટાપુ પર જીતી લીધા હતા.
( 8 )  :  અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પક્ષીઓની લગભગ 270 પ્રજાતિઓ અને પેટાજાતિઓ જોવા મળે છે, જેમાંની 106 પ્રજાતિઓ સ્થાનિક પક્ષીઓ છે.
( 9 )  :  અંદમાન અને નિકોબાર ટાપુ નુ રાજ્ય પક્ષી વૂડ પિંજન(કબૂતર), રાજ્ય વૃક્ષ અંદમાન પેડૈક, અને ડુંગૈગ ( સમુદ્રી ગાય ) ને રાજ્ય પશુ જાહેર કરેલ છે.
( 10 )  :  અહી ૯૬ વન્ય જીવ અભ્યારણ, ૯ રાષ્ટ્રીય ઊદ્ધાન આવેલ છે.

ટિપ્પણીઓ